માર્ચ ૨૦
વિકિપીડિયામાંથી
૨૦ માર્ચ એ ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે,વર્ષનો ૭૯ મો (લિપ વર્ષમાં ૮૦ મો) દિવસ હોય છે. આ પછી વર્ષમાં ૨૮૬ દિવસો બાકી રહે છે.
આ દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં "વાસંતિક વિષુવકાળ" (vernal equinox),એટલે કે જેમાં દિવસ અને રાત્રી સમાન હોય છે, નો હોય છે.તદનુસાર વસંતઋતુનો પ્રથમ દિવસ પણ ગણાય છે, અને દક્ષિણી ગોળાર્ધમાં "શરદ (પાનખર) વિષુવકાળ" (autumnal equinox) નો હોય છે. તેથીજ મોટાભાગે ઘણાં દેશોમાં પરંપરાગત પારસી (કે ઇરાનિયન) નવરોઝ આ દિવસેજ આવે છે. રાશીચક્રનો આ છેલ્લો દિવસ હોય છે.
- વિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવેરનેસ) તરીકે ઉજવાય છે.
અનુક્રમણિકા
૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો[ફેરફાર કરો]
- ૧૬૦૨ - ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.(Dutch East India Company)
- ૧૭૩૯ - નાદિર શાહે દિલ્હી લુટ્યું અને મયુરાસનનાં કિંમતી રત્નોની લુંટ કરી.
- ૧૮૫૨ - 'હેરિયેટ બીચર સ્ટોવે' પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom's Cabin) પ્રકાશિત કરી.
- ૧૯૧૬ - આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.
- ૧૯૯૫ -ટોક્યો ભૂગર્ભ રેલ પર 'સારિન ગેસ' હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.
- ૧૯૯૬ -દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.
૨૦ માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવો[ફેરફાર કરો]
- ૧૯૬૬ - અલ્કા યાજ્ઞિક, ગાયક કલાકાર
૨૦ માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવો[ફેરફાર કરો]
- ૧૩૫૧ :તઘલખ વંશના બાદશાહ મહમંદ તઘલખનું અવસાન
- ૧૯૨૫ : હિન્દના એક વખતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનનું અવસાન
તહેવારો અને ઉજવણી[ફેરફાર કરો]
- વિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવેરનેસ)
- વિશ્વ વાર્તા દિવસ (World Storytelling Day)
- જાપાનનો રાષ્ટ્રીય તહેવાર.(વાસંતિક વિષુવકાળ પર આધારીત)
- આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
- નવરોઝ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
|