ઓગસ્ટ ૧૫
વિકિપીડિયામાંથી
૧૫મી ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૭મો(લિપ વર્ષ દરમ્યાન ૨૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૮ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો.
- ૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
- ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
- ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: કોરિયા મૂક્તિ દિવસ.
- ૧૯૪૭ – ભારત રાષ્ટ્રકુળનાં દેશો સમેત,યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
- ૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક, મહમદ અલી ઝીણા, કરાંચીમાં, પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર જનરલ' પદે આરૂઢ થયા.
- ૧૯૫૦ – ભારતનાં આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાની રચના કરાઇ.
- ૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (d. ૧૯૫૦)
- ૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૪૨ - મહાદેવભાઈ દેસાઈ, મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. (જ.૧૮૯૨)
- ૨૦૦૪ – અમરસિંહ ચૌધરી, ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રી (જ. ૧૯૪૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પર August 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:. |
|