અમદાવાદ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અમદાવાદ
अहमदाबाद/Ahmedabad
કર્ણાવતી
—  મેટ્રોપોલિટન શહેર  —
અમદાવાદની ઓળખ
અમદાવાદની ઓળખ
અમદાવાદનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૩°૦૨′૦૨″N ૭૨°૩૫′૦૬″E / ૨૩.૦૩૩૮૬૩°N ૭૨.૫૮૫૦૨૨°E / 23.033863; 72.585022
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
સ્થાપના ઇ.સ.૧૪૧૧
મેયર મિનાક્ષીબેન પટેલ
ડેપ્યુટી મેયર રમેશભાઈ પટેલ
મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મોહપાત્રા
શહેરી વિકાસ સત્તાતંત્ર ઔડા
નગર નિગમ અ. મ્યુ. કો
વોર્ડ ૬૪
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૫૫,૭૦,૫૮૫ (૨૦૧૧)

• ૨૨,૪૭૩ /km2 (૫૮,૨૦૫ /sq mi)
• ૬૩,૫૨,૨૫૪ (૭) (૨૦૧૧)

જાતિ પ્રમાણ ૧.૧૧ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૮૬.૬૫% 

• ૯૨.૪૪%
• ૮૦.૨૯%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
અન્ય ભાષા(ઓ) અંગ્રેજી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• મેટ્રો વિસ્તાર
• ઉંચાઇ

૨૦૫ ચોરસ કિલોમીટર (૭૯ ચો માઈલ)

• ૪૭૫ ચોરસ કિલોમીટર (૧૮૩ ચો માઈલ)
• ૫૩ મીટર (૧૭૪ ફુ)

આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     ૯૩૨ મિ.મી (૩૬.૭ ઇં)
     ૩૪.૨૬ °સે (૯૩.૬૭ °ફૅ)
     ૩૮.૮૨ °સે (૧૦૧.૮૮ °ફૅ)
     ૧૪.૪૫ °સે (૫૮.૦૧ °ફૅ)

ISO 3166-2 IN-GJ-AH
જાળસ્થળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ (ઉચ્ચારણ) ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

એક કપડા પર અમદાવાદનો નકશો, ૧૯મી સદી

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ'[૩] તરીકે ઓળખાવા લાગ્યું. દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે " જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા".

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૪] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૫] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૬] મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૭]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું 'માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસી રહી છે જે શહેરની રોનક બદલશે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે[૮].

ભૂગોળ[ફેરફાર કરો]

અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે ૨૩°૦૨′N ૭૨°૩૫′E / ૨૩.૦૩°N ૭૨.૫૮°E / 23.03; 72.58 સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે[૯].

શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ, વગેરે અન્ય મોટા તળાવો છે.

અમદાવાદ બી.આર.ટી.એસ[ફેરફાર કરો]

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે.તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પેહલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

મહત્વ[ફેરફાર કરો]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સ્થળોની યાદી[ફેરફાર કરો]

  • વસ્ત્રાપુર તળાવ
  • કેમ્પ હનુમાન
  • ભદ્રકાલી મંદિર
  • સ્વામિનારાયણ મંદિર, શાહિબાગ
  • આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ
  • સરખેજનો રોજો
  • કેલિકો મ્યુઝિયમ
  • માણેક ચોક
  • રાણીનો હજિરો
  • સાબરમતી રિવર ફ્રન્ટ
  • તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ
  • વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો


અમદાવાદની તસ્વીરો
Amdavad Aerial.jpg
Altstadt Ahmedabad.jpg
Sidi Saiyyad Ni Jaali.jpg
Ahmedabad-VijaliGhar.jpg
Shree Swaminarayan Sampraday, Ahmedabad.jpg
Sanskar Kendra Museum.JPG
સાબરમતી નદી પર
આવેલા નવ પુલોનો એક નહેરુ પુલ
જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે.
અમદાવાદ શહેરની
એક પોળનું દ્રશ્ય
સીદી સૈયદની જાળી સીદી સૈયદની જાળીએથી વીજળીઘરની
દિશામાં પાડેલ છબી.
સ્વામીનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ

હવામાન[ફેરફાર કરો]

અમદાવાદની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૩ ૩૮ ૪૧ ૪૨.૮ ૪૩ ૪૩.૪ ૩૯ ૩૯ ૪૨ ૪૦ ૩૮ ૩૨ ૪૩.૪
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૮.૩ ૩૦.૪ ૩૫.૬ ૩૯.૮ ૪૧.૫ ૩૮.૪ ૩૩.૪ ૩૧.૮ ૩૪ ૩૫.૮ ૩૨.૮ ૨૯.૩ ૩૪.૨૬
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૧.૮ ૧૩.૯ ૧૮.૯ ૨૩.૭ ૨૬.૨ ૨૭.૨ ૨૫.૬ ૨૪.૬ ૨૪.૨ ૨૧.૧ ૧૬.૬ ૧૩.૨ ૨૦.૫૮
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૦ ૧૮ ૧૮ ૨૨ ૨૨ ૨૧ ૨૦ ૧૩ ૧૦
વરસાદ મિ.મી. (ઇંચ)
(૦.૦૭૯)

(૦.૦૩૯)

(૦)

(૦.૧૧૮)
૨૦
(૦.૭૮૭)
૧૦૩
(૪.૦૫૫)
૨૪૭
(૯.૭૨૪)
૨૮૮
(૧૧.૩૩૯)
૮૩
(૩.૨૬૮)
૨૩
(૦.૯૦૬)
૧૪
(૦.૫૫૧)

(૦.૧૯૭)
૭૮૯
(૩૧.૦૬)
સરે. વરસાદી દિવસો (≥ 0.1 mm) ૦.૩ ૦.૩ ૦.૧ ૦.૩ ૦.૯ ૪.૮ ૧૩.૬ ૧૫ ૫.૮ ૧.૧ ૧.૧ ૦.૩ ૪૩.૬
Mean monthly sunshine hours ૨૮૮.૩ ૨૭૪.૪ ૨૭૯ ૨૯૭ ૩૨૮.૬ ૨૩૭ ૧૩૦.૨ ૧૧૧.૬ ૨૨૨ ૨૯૧.૪ ૨૭૩ ૨૮૮.૩ ૩,૦૨૦.૮
સંદર્ભ: HKO[૧૦]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ટર્નર, જેન (૧૯૯૬). ધ ડીક્ષનરી ઓફ આર્ટ. 1. ગ્રોવ. p. ૪૭૧. ISBN 1884446000 .
  2. મિચેલ, જ્યોર્જ; શાહ, સ્નેહલ; બરટોન-પેજ, જોહન: મેહતા, દિનેશ (૨૮ જુલાઇ ૨૦૦૬). અમદાવાદ. માર્ગ પબલીકેશન. pp. ૧૭-૧૯. ISBN 8185026033 .
  3. સેતુ શહેર મેપ: અમદાવાદ-ગાંધીનગર. સેતુ પબલીકેશન. ૧૯૯૮. p. ૧.
  4. કુપ્પુરમ, જી (૧૯૮૮). ઇન્ડિયા થ્રુ ધ એજીસ: હિસ્ટરી, આર્ટ્, કલ્ચર એન્ડ રેલીજીયન. સંદીપ પ્રકાશન. p. ૭૩૯. ISBN 8185067082 . http://books.google.com/?id=AvggAAAAMAAJ&q=ahmedabad+189+bastions+and+over+6,000+battlements.&dq=ahmedabad+189+bastions+and+over+6,000+battlements.. પુનર્પ્રાપ્ત 2008-07-26.
  5. ધ મુઘલ થ્રોન by Abraham Eraly pg.47
  6. પ્રકાશ, ઓમ (૨૦૦૩). Encyclopaedic History of Indian Freedom Movement. અનમોલ પબ્લીકેશન. pp. ૨૮૨-૨૮૪. ISBN 8126109386 . http://books.google.com/?id=SZ3lI4LANVcC&pg=PA283&dq=ahmedabad+mughal+rule+ended+maratha. પુનર્પ્રાપ્ત 2008-07-26.
  7. Kalia, Ravi (2004). "The Politics of Site". Gandhinagar: Building National Identity in Postcolonial India. Univ of South Carolina Press. pp. 30–59. ISBN 157003544X . http://books.google.com/?id=RVhNO2MwOCAC&pg=PA39&dq=Gaekwad++mughal+ahmedabad. પુનર્પ્રાપ્ત 2008-07-26.
  8. કુમાર મનિષ (ડિસેમ્બર ૨૭, ૨૦૦૯). "BRTS bridges city's east-west divide". સમાચાર. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. Retrieved ૨૫ મે ૨૦૧૩. 
  9. "Amdavad city". Retrieved 20 June 2012. 
  10. "અમદાવાદ-હવામાન". Retrieved 1 May 2012. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
અમદાવાદ શહેર(પશ્ચિમ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
એકત્રીત માહિતિ
  1. અચેર
  2. આંબલી
  3. ઉસ્માનપુરા
  4. ઓગણજ
  5. કાળી
  6. કોચરબ
  7. ગોતા
  8. ઘાટલોડિયા
  9. ચાંદખેડા
  10. ચાંદલોડિયા
  1. ચેનપુર
  2. ચંગીઝપુરા
  3. છદાવડ
  4. છારોડી
  5. જગતપુર
  6. જોધપુર
  7. થલતેજ
  8. પાલડી
  9. ફતેહવાડી
  10. બાકરોલ-બાદરાબાદ
  1. બાદરાબાદ
  2. બોડકદેવ
  3. ભાડજ
  4. મકતમપુરા
  5. મકરબા
  6. મેમનગર
  7. મોટેરા
  8. રાણીપ
  9. વણઝર
  10. વસ્ત્રાપુર
  1. વાડજ
  2. વાસણા
  3. વેજલપુર
  4. શીલજ
  5. શેખપુર-ખાનપુર
  6. સરખેજ
  7. ઓકાફ
  8. સોલા
  9. હેબતપુર
  10. ત્રાગડ

ભૌગોલિક સ્થાન
અમદાવાદ શહેર(પુર્વ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
એકત્રીત માહિતિ
  1. અસારવા
  2. ઇસનપુર
  3. ઓઢવ
  4. કમોડ
  5. કોતરપુર
  6. ખોખરા-મહેમદાવાદ
  7. ગ્યાસપુર
  8. ઘોડાસર
  9. દરિયાપુર-કાઝીપુર
  10. દાણીલીમડા
  11. ચેનપુર
  1. ચંગીઝપુરા
  2. છદાવડ
  3. છારોડી
  4. જગતપુર
  5. જોધપુર
  6. થલતેજ
  7. પાલડી
  8. ફતેહવાડી
  9. બાકરોલ-બાદરાબાદ
  10. નરોડા
  11. નારોલ
  1. નિકોલ
  2. પીપળજ
  3. બહેરામપુરા
  4. બાગેફિરદોસ
  5. મીઠીપુર
  6. મુઠીયા
  7. રખિયાલ
  8. રાજપુર-હીરપુર
  9. રામોલ
  10. લક્ષ્મીપુરા
  11. લાંભા
  1. વટવા
  2. વસ્ત્રાલ
  3. વિંઝોલ
  4. શહેરકોટડા
  5. શાહવાડી
  6. સરદારનગર
  7. સૈજપુર ગોપાલપુર
  8. સૈજપુરબોઘા
  9. હાથીજણ
  10. હાંસોલ
  11. હંસપુરા

ભૌગોલિક સ્થાન
અમદાવાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. અમદાવાદ શહેર તાલુકો
  2. દસ્ક્રોઇ
  3. દેત્રોજ
  4. ધોળકા
  5. ધંધુકા
  6. બરવાળા
  7. બાવળા
  8. માંડલ
  9. રાણપુર
  10. વિરમગામ
  11. સાણંદ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Ahmedabad district.png


ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતિ
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ગાંધીધામ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg


આ પ્રસ્તુત લેખ છે. વધુ જાણવા અહિં ક્લિક કરો.