સાહિત્ય પ્રવૃત્તિ સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે. સમગ્ર પ્રજાનું, તેની સંસ્કૃતિનું, તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ એમાં ઝીલાયાં છે. પ્રવૃત્તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્ય સમગ્ર જનસમુહ સુધી પહોંચાડી શકાય. પ્રજા
જીવનમાં ધબકતી રહેલી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી લઇ શકાય તેમજ રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ પ્રસ્થાપિત કરી શકાય એવા વિશાળ અભિગમ સાથે આ છ સાહિત્ય અકાદમીઓ કામગીરી કરી રહી છે.
આ અકાદમીઓ દ્વારા સંબંધિત ભાષા અને વિકાસના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.
આ છ સાહિત્ય અકાદમીઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે
અરજી ફોર્મ